ગારીયાધારની દેપલાપરાની શાળાના વિદ્યાર્થીઓએ માનવસાંકળ બનાવી અચૂક મતદાન કરવાનો આપ્યો સંદેશ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪મા ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરી લોકશાહીના મહાપર્વમા સહભાગી બને તે માટે ચુનાવ પાઠશાળા થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગારીયાધાર તાલુકાની દેપલાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી લોકશાહીના અવસરમાં અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. Post Views: 13
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed